જ્યારે રાજકરણીઓ જ સંડોવાએલા હોય ત્યારે વિદેશોની બેંકોમાંથી કાળુ નાણુ ભારત પરત આવે એવી કોઇ શક્યતાઓ લાગે છે?
-
તાજેતરની પોસ્ટ્સ
સંગ્રહ
શ્રેણીઓ
મેટા
Blog Stats
- 3,128 hits
-
Join 3 other subscribers
જ્યારે રાજકરણીઓ જ સંડોવાએલા હોય ત્યારે વિદેશોની બેંકોમાંથી કાળુ નાણુ ભારત પરત આવે એવી કોઇ શક્યતાઓ લાગે છે?
ઘણી વખત જ્યારે કોંગ્રેસ ભાજપની ટીકા કરે છે કે ‘ભાજપને સરદાર પટેલ અને ગાંધીજીના ગુણગાન ગાવાની જરૂર નથી. એ લોકો તો કોંગ્રેસી હતા.’ ત્યારે મને સવાલ થાય છે કે કોંગ્રેસીઓ ક્યા મોઢે ભગતસિંહના વખાણ કરે છે? એ તો સામ્યવાદી હતા.
મારા એક relative પૂછે છે કે ‘રાહત ફતેહઅલી ખાન એ ગુલફામ હુસેન તો નથી ને?’
આટલી ભયંકર મોંઘવારી, રોજના મસમોટા કૌભાંડો વચ્ચે કર્ણાટકમાં સ્થાનિક ચૂંટણીઓમાં કોંગ્રેસને ખાસ્સી સીટ મળી. ત્યાંના લોકો ગજબ ના કહેવાય?
કસાબ પ્રકરણથી હવે થાકી ગયા. તેને ક્યારેય પણ ફાંસી થશે?
આપણા ક્રિકેટરો પોતાની હરાજી થવા દેવા તૈયાર છે, IPL ના નાટકમાં કરોડો રૂપિયા ખર્ચાય છે. પણ એશિયાડ ખેલમાં ભારતે ક્રિકેટમાં ભાગ જ ન લીધો? (અરે હા, તેમાં પૈસાની છોળો નથી ઉડતી.)
આજે શ્રી રતન ટાટાએ કહ્યું કે એર લાઇન્સના લાયસન્સ માટે તેમની પાસેથી એક પ્રધાને પંદર કરોડ રૂપિયાની માંગણી કરી હતી. તે આપણા પ્રાતઃસ્મરણીય, પરમ પૂજ્ય, નિષ્કલંક, નિર્દોષ, નિષ્પાપ, નિર્મોહી, અને પ્રજા સેવામાં સદાય કાર્યરત રહેતા પ્રધાનો સામે કઇ રીતે આંગળી ચીંધી શકે?
રાજકોટ શહેરના બાર જેટલા રાજમાર્ગો ઉપર રસ્તે રઝળતાં ઢોરને પકડી તેને છોડવાની બદલે પાંજરાપોળ મોકલી અપાશે. તે બાબતનું મ્યુ.કમિશનરે જાહેરનામંુ પ્રસિધ્ધ કર્યા બાદ પ્રથમ દિવસથી જ તેનો કડક અમલ શરૃ કરી દીધો હતો. યુનિ. રોડ ઉપર ઢોરને પકડવાની કાર્યવાહી ચાલતી હતી અને તેને ઢોર ડબ્બામાં લઈ જવામાં આવતા હતા.ત્યારે એક જીવદયા પ્રેમીએ કોર્પો.ના સ્ટાફ સાથે બઘડાટી બોલાવી હતી – એક સમાચાર
એ જીવદયા પ્રેમીને જ્યારે રસ્તે રખડતી ગાય પ્લાસ્ટીક અને બીજો કચરો ખાય ત્યારે દયા નહિ આવતી હોય? ગાયને તો આપણે માતા માનીએ છીએ.
લાલુ પ્રસાદનો ચારા કાંડ, કલમાડીનો કોમનવેલ્થ રમતોનો કાંડ, રાજાનો 2G કાંડ, અશોક ચવાણનો આદર્શ સોસાયટી કાંડ… બીજા કયા કાંડ તમને યાદ આવે છે? અને એ બધામાં Highest Record કોનો?